test
સિહોરના વેપારીઓને હેલ્થ કાર્ડ આપો - કોંગ્રેસની માંગણી

શહેરના લોકો માટે આ સુવિધા ખૂબ જ જરૂરી છે, તાકીદે અમલી કરાવી સખ્તપણે અમલ થાય તે જરૂરી - કોંગ્રેસ


હરેશ પવાર
સિહોર શહેરમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને હેલ્થ કાર્ડ આપવા શહેર કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કોંગ્રેસનું કહેવું છે કે હમણા કોરોના સંક્રમિતોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે અને મહામારી વધુ ફેલાતી જાય છે જેમા આપણુ શહેર સિહોર પણ બાકાત રહ્યુ નથી અને કેન્દ્ર સરકાર ની ગાઇડલાઇન પ્રમાણે સિહોરમા પણ લોકડાઉન યથાવત છે અને આદેશ મુજબ થોડી જીવનજરૂરી ચીજવસ્તુની છુટછાટ પણ છે જેના અંતર્ગત કરીયાણાના વેપારીઓ, શાકભાજીના વેપારીઓને અને ફ્રુટના વેપારીઓ સમયસીમા અને નિયમો પાલન સાથે છુટછાટ છે જેનુ પાલન પણ થઇ રહયુ છે પણ જયારે સંક્રમણ વધુ ફેલાવાનો ભય પણ છે અને સાથે વિપુલ શકયતાઓ પણ છે માટે આપ સાહેબ ને સિહોર શહેર કોંગ્રેસ સમિતિ વતી અમારી અપિલ છે કે દરેક કરીયાણાના વેપારીઓ, શાકભાજીના વેપારીઓ અને ફુટ ના વેપારીઓ ને તપાસ કરી તેમને હેલ્થકાર્ડ આપવામાં આવે જેથી લોકો હેલ્થકાર્ડ જોઇને ખરીદી કરી શકે સાથે સંક્રમણ નો કોઈ ભય પણ મનમા ના રહે અને આવી સુવિધા ભાવનગર સાથે કેટલાય શહેરો મા અમલીકરણ કરવામાં આવે જ છે અને સાથે જયા શાકભાજી અને ફ્રુટ ની જગ્યા ફાળવવામાં આવી છે જયા અસંખ્ય લોકો ની અવરજવર રહે છે માટે કોઈ એક સંક્રમિત આવી જવાથી સંક્રમણ ફેલાઇ શકે છે માટે આવી જાહેર જગ્યાએ સેનેટાઇરઝર ચેનલ મુકવા મા આવે જેથી આવતા જતા લોકો સેનેટાઇરઝર થઇ જાય જેથી સંક્રમણ ફેલાતો અટકાવી શકીયે અને મોટાભાગના શહેરો મા આ સુવિધા અને તેનુ સખતપણે અમલીકરણ શરૂ છે જ તો આપણા સિહોર શહેર ને પણ આ સુવિધા સિહોર ના લોકો ના આરોગ્ય માટે ખુબજ જરૂરી છે માટે તાત્કાલિક અપીલને ધ્યાને લેવા અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તેનુ સખતપણે અમલ કરાવવામા આવે તેવી માંગ સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદિપસિંહ ગોહિલ અને વિરોધપક્ષના નેતા કિરણભાઈ ઘેલડા દ્વારા કરવામાં આવી છે
Reviewed by ShankhnadNews on 20:28 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.