સિહોરની જે. જ.મહેતા ગર્લ્સ સ્કુલમાં એડમિશન મામલે વિવાદ, અધિકારી વ્યાસ દોડી ગયા
અહીં ઓરડા અને સ્ટાફની ઘટ છે, દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થાય છે, અગાઉ થોડા દિવસ પહેલા આગેવાનોએ પ્રવેશ બાબતે રજુઆત કરી હતી
ગુજરાત સરકાર એક તરફ બેટી બચાવો બેટી ભણાવો તેવા મોટા મોટા બણગા ફુંકી રહી છે,
ત્યારે જે દિકરીઓને ભણવું છે તે દીકરીઓને સ્કૂલ સંસ્થાઓમાં પ્રવેશ બાબતે અનેક વખતો વિવાદો સર્જાયા છે
સિહોર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-8 સુધી અભ્યાસ કરી આગળ અભ્યાસ કરવા અને ધોરણ-9માં પ્રવેશ મેળવવા માટે
સિહોરની જે.જે.મહેતા ગર્લ્સ હાઇસ્કુલમાં પ્રવેશ માટે આવતી વિદ્યાર્થીનીઓને વ્યવસ્થાના અભાવે પ્રવેશ ન મળતા વિદ્યાર્થીનીઓમાં અને તેમના વાલીઓમાં ભારે રોષ છવાયો છે
અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની ચુકી છે કારણકે જે જે મહેતા સંસ્થામાં શિક્ષકો સાથે રૂમ ઓરડાની પણ ઘટ છે ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે જ તાલુકા વિસ્તારમાંથી આવતી દીકરીઓને એડમિશન બાબતે
અગાઉ સિહોર તાલુકાના કેટલાક આગેવાનો રજુઆત કરી હતી અને દીકરીઓને સંસ્થામાં અભ્યાસ માટે પ્રવેશ આપવાની માંગ કરી હતી સંચાલકો અને સંસ્થાનો વહીવટ કર્તાઓને દર વર્ષે આ સ્થિતિનો સામનો કરવો પડે છે
આજે એડમિશન બાબતે સિહોરના અધિકારી વ્યાસ દોડી ગયા હતા અને અને સંસ્થાના આગેવાનો સાથે બેઠક કરીને વિધાર્થીઓના એડમિશન આપવા જણાવ્યું હતું
ત્યારે અભ્યાસ માટે તાલુકા વિસ્તારમાંથી આવતી વિધાર્થીનીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે
Reviewed by ShankhnadNews
on
21:29
Rating:
No comments: