test
સિહોર વોર્ડ નંબર ૩ ના નગરસેવક મુનાભાઈ આલ દ્વારા રાહત રસોડું ચાલે છે

હરેશ પવાર
વૈશ્વિક કોરોના મહામારીમાં નાના વર્ગના પરિવારો માટે જીવન નિર્વહ કરવો કપરો થઈ ગયો છે. લોકડાઉન ને લઈને તમામ ના ધંધા રોજગાર થંભી ગયા છે. ત્યારે જરૂરિયાત મંદ પરિવાર માટે અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવીને તેમના ઘરે જમવાનું પહોંચાડી રહી છે. સિહોરના વોર્ડ નંબર ૩ ના નગરસેવક મુનાભાઈ આલ તેમજ તેમના મિત્રો દ્વારા છેલ્લા ૨૦ દિવસથી રાહત રસોડું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમના વોર્ડના જુદા જુદા વિસ્તારમાં રહેતા જરૂરિયાત મંદ પરિવાર માટે ભોજનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આવા નગરસેવકો આ લોકડાઉનમાં ભાગ્યેજ જોવા મળ્યા છે એ એક અલગ વાત છે.
Reviewed by ShankhnadNews on 20:03 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.