test
સિહોરમાં અવ્યવસ્થા સાથે અનાજ વિતરણનો પ્રારંભ, લોકોએ લાઇન લગાવી દીધી

લોકડાઉન સ્થિતિમાં લોકોએ લાંબી લાઈનો લગાવી દીધી, ક્યાંક અનાજ ન આપવાની પણ બૂમ, લોકોમાં નારાજગી

હરેશ પવાર
રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે આજથી સિહોર સાથે સમગ્ર રાજ્યમાં ઍન.ઍફ.ઍસ.ઍમાં સમાવેશ રેશનકાર્ડ ધારકોને સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી વિનામૂલ્યે અનાજ આપવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે આજે સવારથી જ રેશનીંગની દુકાનમાં અનાજ લેવા માટે રેશનકાર્ડ ધારકોઍ લાઈન લગાવી છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. અનાજ ખરીદવા આવતા રેશનકાર્ડ ધારકોને સોશિયલ ડિસ્ટન્ટનું પાલન પોલીસ કરાવી રહી છે તો ક્યાંય અવ્યવસ્થા સર્જાઈ છે. રાજય સરકાર દ્વારા અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો રેશનકાર્ડ ધારકો તથા નેશનલ પોર્ટેબિલિટી યોજના હેઠળ લાભાર્થીઓને આધારકાર્ડ આધારિત ઓળખ આપી તેમને મળવાપાત્ર અનાજ રાજયમાં કોઇપણ વાજબી ભાવની દુકાન પરથી આપવાની જાહેરાત કરી છે. જેનો આજથી અમલ કરવામાં આવતા આજે સવારથી સસ્તા અનાજની દુકાનો પર લાઇનો લાગી છે. સસ્તા અનાજની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સની પણ પુરતી કાળજી રાખવામાં આવી છે. રેશનીંગ દુકાનમાં ધક્કા મુક્કી પડાપડી ન થાય તે માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે, જે અનાજ ખરીદવા આવેલા લોકોને સોશિયલ ડિસ્ટન્ટ સાથે લાઈનોમાં ઉભા રાખી રહી છે.
Reviewed by ShankhnadNews on 20:49 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.