test
સિહોરમાં આવશ્યક વસ્તુઓની દુકાનો સામે એક મીટરના અંતરના વર્તુળો બનાવાયા

સોશિયલ ડિસ્ટન્સિંગ માટે તંત્રનું આયોજન, કોરોના સામે લડવા સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને લોકો એકબીજાથી અંતર જાળવી જરૂરી વસ્તુઓ ખરીદી શકે તે માટેનું આયોજન

દેવરાજ બુધેલીયા
કોરોનાનું સંક્રમણ અટકાવવા સમગ્ર દેશ લૉકડાઉન કરી દેવામાં આવ્યો છે, જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો અને મેડિકલ સ્ટોર્સ આ દરમિયાન ખુલી રહે છે પરંતુ અહીં પણ કોરોનાનું સંક્રમણ થવાની શક્યતાને પગલે સિહોર પોલીસ અને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો છે ત્યાં ગેરસમજને લઇને લોકોના ટોળા એકઠા થતાં હોય છે ત્યારે ટોળાઓ એકઠા ન થાય તે માટે પોલીસ અને તંત્ર દ્વારા એક મીટરનું અંતર રહે તે માટે ના રાઉન્ડ સર્કલ બનાવવામાં આવ્યા છે. પ્રોવિઝન સ્ટોર પર ખરીદી કરવા આવતા લોકો ઉભા રહે તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે કે, જે સર્કલ બનાવ્યા છે તેમાં જ ઊભા રહેવું જેના કારણે વ્યક્તિ વચ્ચેનું અંતર જળવાય રહે જેથી કોરોનાનું સંક્રમણ ફેલાય નહી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પ્રોવિઝન સ્ટોર, મેડિકલ સ્ટોર સામે આ પ્રકારના રાઉન્ડ સર્કલ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ખરીદી કરવા આવતા લોકોએ ઊભા રહી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે. આ સિવાય વહીવટી તંત્ર દ્વારા જાહેર સ્થળો અને સરકારી કચેરીઓમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને તબક્કાવાર શહેરના અન્ય સ્થળોએ દવાનો છંટકાવ કરવામાં આવશે.
Reviewed by ShankhnadNews on 20:39 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.