test
સિહોરના દેવગાણાની જ્ઞાનયજ્ઞ શાળા માં ઉતરાયણ પર્વે અનેકવિધ કાર્યક્રમો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના દેવગાણાની જ્ઞાનયજ્ઞ શાળા માં ઉતરાયણ પર્વ નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પતંગ બનાવવી, પતંગ ચિત્ર સ્પર્ધા, અને પતંગ ઉત્સવ યોજાયો હતો. જેમાં બાળકો એ અવનવી ડિજાઇન માં આબેહૂબ પતંગ બનાવ્યા હતા અને આબેહૂબ પતંગ ના ચિત્રો બનાવ્યા હતા. આ કાર્યકમ માં શાળા ના 1 થી 6 ધોરણ ના બાળકો જોડાયા હતા. આ ચિત્ર સ્પર્ધા માં ધોરણ 6ની પંડ્યા ભક્તિ બેન નો પ્રથમ નંબર આવ્યો હતો. જેમને ઇનામ આપી ને અભિનંદન આપ્યા હતા.ત્યારબાદ બાળકો નો પતંગ ફેસ્ટિવલ યોજાયો હતો.આ સાથે  જ્ઞાનયજ્ઞ શાળા નો ઉતરાયણ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ કાર્યકમ ને સફળ બનાવવા શાળા ના જનરલ ડાયરેક્ટર વિપુલભાઈ એચ દવે, શાળા ના પ્રિન્સિપાલ વિપુલભાઈ એલ રમણા એ ખાસ ભૂમિકા ભજવી હતી તેમજ શાળા ના શિક્ષકો અલ્પાબેન ચૌહાણ, સેજલબેન ચૌહાણ, સેજલબેન કાઠિયા, અને પાયલબેન પરમારે ખાસ જહેમત ઉઠાવી હતી.
Reviewed by ShankhnadNews on 21:11 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.