સિહોરમાં માનવસેવા સાથે ગૌસેવાની ઘુણી ધખાવનાર નટુભાઈ ત્રિવેદી
ઇજાગ્રસ્ત ગાયને સારવાર આપીને વ્હારે આવ્યા નટુભાઈ
દેવરાજ બુધેલીયા
સિહોર એટલે સેવાભાવી ની નગરી. અનેક ભામાશા જેવા દાતાઓ ને આ ભોમકા એ જન્મ આપ્યો છે. સિહોરમાં મૂંગા પશુ પક્ષીઓ અને માનવો ના સેવાયજ્ઞ અવિરત શરૂ છે. સિહોરમાં નટુભાઈ ત્રિવેદી માનસિક અસ્થિર ની પોતાના દીકરા કરતા પણ વિશેષ સેવાઓ કરે છે. આ સાથે મૂંગા પશુઓ ની પણ અવિરત સેવાઓ એમના હાથે શરૂ છે જે ખરેખર પ્રશંસા ને પાત્ર છે.આજે સિહોરમાં એક ગાય ઇજાગ્રસ્ત થયેલી હાલતમાં રિબાતી હતી ત્યારે નટુભાઈ ને જાણ થતા જ તેઓ દોડી આવ્યા હતા. તેમને તેમના હાથે ગાયની પાટા પિંડી કરીને તાત્કાલિક સારવાર આપી ને ગાયની પીડાને રાહત આપી હતી. નટુભાઈ ની સેવાકીય કામગીરી ખરેખર પ્રેરણા દાયક છે. કોઈ પણ સ્વાર્થ વગર તેઓ અવિરત સેવા યજ્ઞ કરી રહ્યા છે.
ઇજાગ્રસ્ત ગાયને સારવાર આપીને વ્હારે આવ્યા નટુભાઈ
દેવરાજ બુધેલીયા
સિહોર એટલે સેવાભાવી ની નગરી. અનેક ભામાશા જેવા દાતાઓ ને આ ભોમકા એ જન્મ આપ્યો છે. સિહોરમાં મૂંગા પશુ પક્ષીઓ અને માનવો ના સેવાયજ્ઞ અવિરત શરૂ છે. સિહોરમાં નટુભાઈ ત્રિવેદી માનસિક અસ્થિર ની પોતાના દીકરા કરતા પણ વિશેષ સેવાઓ કરે છે. આ સાથે મૂંગા પશુઓ ની પણ અવિરત સેવાઓ એમના હાથે શરૂ છે જે ખરેખર પ્રશંસા ને પાત્ર છે.આજે સિહોરમાં એક ગાય ઇજાગ્રસ્ત થયેલી હાલતમાં રિબાતી હતી ત્યારે નટુભાઈ ને જાણ થતા જ તેઓ દોડી આવ્યા હતા. તેમને તેમના હાથે ગાયની પાટા પિંડી કરીને તાત્કાલિક સારવાર આપી ને ગાયની પીડાને રાહત આપી હતી. નટુભાઈ ની સેવાકીય કામગીરી ખરેખર પ્રેરણા દાયક છે. કોઈ પણ સ્વાર્થ વગર તેઓ અવિરત સેવા યજ્ઞ કરી રહ્યા છે.
Reviewed by ShankhnadNews
on
21:06
Rating:
No comments: