test
રંઘોળા આહીર સમાજના ડાયાભાઇ ડાંગરે દર્દીઓ માટે આપ્યું અનુદાન 

પોતાની મરણમૂડી માંથી દર્દી નારાયણની સેવામાં આપ્યા ૧ લાખ ૧૧ હજારનું અનુદાન 

નિલેશ આહીર
કોરોના વૈશ્વિક મહામારીમાં અનેક ભામાશાઓ આગળ આવીને દેશનું આર્થિક તંત્રને ટેકો દેવામાં લાગી પડ્યા છે. આવા જ એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા રંઘોળા ગામના આહીર સમાજનું ગૌરવ એકે ડાયાભાઇ વાશીંગભાઈ ડાંગર દ્વારા ટીબી હોસ્પિટલમાં પોતાની મરણ મૂડીની રકમમાંથી દર્દીઓની સેવા માટે રૂપિયા ૧ લાખ ૧૧ હજારનું અનુદાન કરેલ છે. પોતે નિવૃત સરકારી કર્મચારી છે અને અન્ય લોકોની બને એટલી મદદ કરવી અને લોકોના દુઃખમાં ભાગીદાર થવું એવી જ એમની જીવન શૈલી છે. કોરોના ની મહામારીના કપરા સમયમાં લોકોને સેવાકાર્ય કરવા માટે પ્રેરણારૂપ છે ડાયાભાઇ ડાંગર. હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ દ્વારા ડાયાભાઈ આહીરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Reviewed by ShankhnadNews on 20:57 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.