test
ઉમરાળા તાલૂકા વિકાસ અધિકારી આર.બી.વીસાણી નિવૃત્ત થયા - વિદાય સન્માન સમારંભ યોજાયો - સન્માનિત કરાયા

નિલેશ આહીર
ઉમરાળા તાલુકાના કર્મનિષ્ઠ તાલુકા વિકાસ અધિકારી આર.બી.વિસાણી 31-1-2020ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા આજરોજ ઉમરાળા તાલુકા પંચાયત સ્ટાફ તથા તલાટી કંમમંત્રી મંડળ તરફથી તેઓને વિદાય સન્માન આપવા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ઉમરાળા મામલતદાર આર.એ.પટેલ ઉમરાળા પી.એસ.આઇ.એસ.આર. પઢીયાર, તથા તા.પંચાયત પ્રમુખના પતિ ઘનશ્યામભાઈ ખેરાળા, ઉપપ્રમુખ,કારોબારી સમિતિના ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, જી.પંચાયત સદસ્ય પેથાભાઈ આહીર તથા વિનુભાઈ મારુ તા.પંચાયતના તમામ સદસ્યો, તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ કોંગ્રેસ અને ભાજપ પક્ષના આગેવાનો તથા તમામ સરકારી કચેરીઓના  અધિકારીઓ મામતદારશ્રી, પોલીસ સ્ટાફ,બેંક સ્ટાફ  અધિકારીઓ જુદી જુદી સામાજિક સંસ્થાઓના હોદેદારો સહિતના લોકો વિશાળ સંખ્યામાં સ્વયંભૂ રીતે ઉપસ્થિતિ રહી વિવિધ ભેટ સોગાદો, સમુત્રીપત્રો, સન્માનપત્ર,અર્પણ કરી અને ફૂલહાર તથા શાલ ઓઢાડી બહુમાન કર્યુ હતુ વિસાણી સાહેબની કામ પ્રત્યેની ધગશ કતવ્ય પાલન તેમજ જાહેર જનતા, પદાધિકારીઓ, અને અધિકારીઓ અને કર્મચારીઓ સાથેના સુમધુર સબંધોને બિરદાવી નિવૃતિ પછીનું જીવન સુખમય સ્વસ્થમય અને ભક્તિમય રીતે વિતાવે તેવી શુભેચ્છાઓ પાઠવી તેમના અમૂલ્ય યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો
Reviewed by ShankhnadNews on 20:17 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.