test
સાસરિયા પક્ષ મહિલાને પિયરમાં જવા દેતા ન હતા.. મહિલાએ કહ્યું હું મરી જઈશ..સિહોરની ૧૮૧ ની સુપર્બ કામગીરી

સાસરિયા પક્ષના લોકો મહિલાને પિયરમાં જવા દેતા ન હતા મહિલાએ કહ્યું હું મારી જઈશ.. મહિલાના બનેવીએ ૧૮૧ ટીમનો સંપર્ક કર્યો, મહિલા હેલ્પ લાઈન ટીમે સમાધાન કરાવ્યું અને મહિલાને રાજીખુશીથી સાસરિયા પક્ષે પિયરમાં મોકલી

સલીમ બરફવાળા
સમાજમાં કેટલીક બનતી ઘટના તમને અચરજ પમાડી દે છે ૧૮૧ મહિલા હેલ્પ લાઈન પાસે આવતી કેટલીક ઘટના અને બનાવ જાણે અઢારમી સદીમાં લોકો જીવન જીવતા હોઈ તેવું લાગ્યા કરે છે તેવી જ કહાની મહુવાના દયાળ ગામે બની છે દયાળ ગામે સાસરીયામાં પતિ પરિવાર સાથે રહેતી મહિલા ને લગ્ન બાદ એકવાર પણ પિયર જવા દિધેલ નથી તે મહિલા ધણીવાર પિયર જવા માટે પતિને વાત કરેલ દર વખત ની જેમ નાં પાડેલ.. માં બાપ અને પરિવાર ને મળવા માટે મહિલા તડપતી હતી. બીજી તરફ તે મહિલાના પિયરપક્ષ ના સભ્યો દિકરી ને મળવા માટે તેમની સાસરીમાં જઈ શકે તેમ ના હોય ત્યાં જતા ડરતા હતા આજે તે મહિલા ના માં બાપ ની તબીયત સારી નથી તેવા સમાચાર મળતા પતિ પાસે માં બાપની તબીયત પૂછવા જવા પિયર જવા માટે કહેલ પતિ નાં પાડતા મહિલા કંટાળી તેમના બનેવીને કોલ ખરી જણાવેલ કે તેમને સાસરીમાંથી લઈ જાય તેમના પતિ આવવા દેતા નથી.બે દિવસ નો ટાઈમ આપેલ જો બે દિવસ માં લેવા નઇ આવો તો દવા પિય ને મરી જવાનું કહેતા તે મહિલા ના બનેવી મદદ માટે ૧૮૧ માં કોલ કરી જણાવેલ સિહોર ૧૮૧ અભ્રયમ મહિલા હેલ્પલાઈન ની ટીમ મદદે પહોંચી હતી.બંને ની વાત સાંભળી અને સુખદ સમાધાન કરાવી રાજી ખુશી થી પિયર માં બેન બનેવી સાથે ગયેલ કામગીરીમાં સિહોર ૧૮૧ ટીમના કાઉન્સીલર શિલ્પાબેન પરમાર, પાયલોટ રામદેવસિંહ ગોહિલ ખરકડી વાળા જોડાયા હતા
Reviewed by ShankhnadNews on 20:00 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.