test
સિહોર સહિત પંથકમાં અમી છાટણાં તો મહુવા-તળાજા પંથકમાં ધોધમાર વરસાદ.

બોરડા, વેજોદારી, પ્રતાપપરા, માળવાવ, વાલાવાવ સહિતના ગામોમાં વરસાદ.

વરસાદ હવે ખેતરોમાં ઉભેલી મગફળી અને કપાસ સહિતના પાકને નુકશાનકર્તા  સાબિત થશે.

ધોધમાર વરસાદી ઝાપટા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે


સલીમ બરફવાળા
અરબીસમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરને લઇ ચોમાસાના અંતિમ તબકકામાં આજે સિહોરના કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા તો મહુવા-તળાજા ના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદ હજુ ખેતરોમાં ઉભેલા મગફળી-કપાસ જેવા પાકોમાં નુકશાન કારક સાબિત થશે જયારે આ માવઠા રૂપી વરસાદ ખેડૂતોની મુશ્કલીમાં વધારો કરી રહ્યા છે. ચોમાસું હવે જયારે વિદાય લઇ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેસરને લઇ વરસાદની આગાહી કરી છે. જેના પગલે આજે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદનો પ્રારંભ થયો હતો.  જેમાં બોરડા, વેજોદારી,પ્રતાપપરા,માળવાવ,વાલાવાવ, રાણીવાડા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વરસાદ હવે ખેતરોમાં ઉભેલી મગફળી અને કપાસ સહિતના પાકને નુકશાનકર્તા  સાબિત થશે. અગાઉ પણ આ વિસ્તારોમાં સીઝનનો ૧૦૦% કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે ત્યારે અંતિમ ચરણમાં માવઠા સમાન આ ધોધમાર વરસાદી ઝાપટા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. જયારે શિયાળા ની ઋતુ દસ્તક દઈ રહી છે ત્યારે વાતાવરણ વધુ ઠંડુગાર બન્યું છે.
Reviewed by ShankhnadNews on 20:58 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.