જેસરના જંગલમાંથી ઇજાગ્રસ્ત સિંહને રેસ્ક્યુ કરી વડાલ ખાતે સારવાર અપાતી હતી, સવારે ટ્રેકર ખોરાક આપવા ગયા ત્યારે સિંહે હુમલો કર્યો
શંખનાદ કાર્યાલય
પાલિતાણા નજીક વડાલ ગામે આવેલ એનિમલ કેર હોસ્પિટલમાં બધં સિંહે એક ટ્રેકર પર હુમલો કરતા તેને ઇજાગ્રસ્ત હાલતે ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવેલ.
થોડા દિવસ પૂર્વે જેસરના જંગલ વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત એક અઢીથી ત્રણ વર્ષના સિંહને રેસ્કયુ કરી પકડી સારવાર માટે વડાલ ખાતેના એનિમલ કેર સેન્ટરમાં રાખવામા આવેલ છે. દરમ્યાનમાં આજે સવારના સમયે વન વિભાગના ટ્રેકર ગીલાભાઇ નાનુભાઇ ડોડીયા (ઉં.વ.આ.૫૨) સિંહને ખોરાક આપવા માટે ગયા હતા ત્યારે પાંજરાનો દરવાજો થોડો વધુ ખુલી જતા બહાર આવી ગયેલા સિંહે ટ્રેકરના સાથળના ભાગે હુમલો કરી લોહીયાળ ઇજા પહોંચાડી હતી. જો કે, સાવચેતી દાખવી પાંજરૂ બધં કરી દેવાયુ હતુ. જયારે ઇજાગ્રસ્ત ટ્રેકરને પ્રથમ પાલિતાણા અને બાદમાં ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવેલ છે
No comments: