test
સિહોરના અલ્ફાજ પછી એમના સગ્ગા ભાઈ યાસીન દસાડિયાએ પણ કોરોના સામે જંગ જીત્યો

સારવાર બાદ સિહોરના યાસીન સહિત ભાવનગરના ૩ કોરોનાગ્રસ્ત દર્દી રોગમુક્ત થતાં ડિસ્ચાર્જ, હોસ્પિટલ માંથી રજા અપાઈ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં ૧૩ એપ્રિલના કોરોના કાળે પગપસેરો કર્યો હતો અલ્ફાજ હનીફભાઈ દસાડીયાના સેમ્પલ લેવાયા બાદ જેઓને રિપોર્ટ પોઝિટિવ આવતા જેમને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ તેમજ એમના પરિવારને સમરસ ખાતે કોરોન્ટાઇનમાં રાખવામાં આવેલ સારવાર દરમ્યાન તેમના પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો હતો અગાઉ અલ્ફાજે કોરોનાને હરાવ્યો હતો હવે યાસીને કોરોનાને હરાવ્યો છે જેઓને આજે તાળીના ગડગડાટ સાથે રજા આપવામાં આવી છે ભાવનગરના ત્રણ દર્દીઓ સાથે તા.૨૬ એપ્રીલના રોજ સિહોરના જલુનો ચોક પાસે રહેતા ૨૨ વર્ષીય યાસીનભાઈ હનિફભાઈ દસાડિયાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવ્યા હતા. ત્યારબાદ આજ તા ૦૮/૦૫/૨૦૨૦ની સવાર સુધી આઇસોલેશન વોર્ડમા આરોગ્ય વિભાગના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફે દર્દીની સેવામા ખડે પગે રહી સતત દર્દીની સઘન સારવાર હાથ ધરી હતી. સાથો સાથ જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, કમિશનર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર સાથે વિવિધ વિભાગોના ડોક્ટરો અને તેમની ટીમની સેવા સુશ્રુષા અને મહેનત રંગ લાવી અને બંને દર્દીનો ગત ચોવીસ કલાક દરમિયાન ૨ વખત કરવામા આવેલ રિપોર્ટ નેગેટીવ આવતા ચારેય દર્દીને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરી આજે સવારે તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.
Reviewed by ShankhnadNews on 20:28 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.