test
સિહોરમાં કોન્ટ્રાક્ટરની જન્મદિવસની અનોખી ઉજવણી : કોરોના સામે જંગ લડવા મુખ્યમંત્રી રાહત ફંડમાં ૫૧ હજારનો ચેક અર્પણ

 

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના નામની મહામારીએ સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવી દીધેલ છે જેની સામે ભારત દેશને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૧ દિવસ માટે સમગ્ર દેશને લોકડાઉન કરેલ છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સહકારી સંસ્થાઓ, ટ્રસ્ટો તથા વ્યક્તિગત રીતે દેશ-દુનિયાના લોકો કોરોના વાયરસ ની સામે લોકોને મદદરૂપ થવા માટે ખુલ્લા મને મદદ કરી રહ્યા છે ત્યારે સિહોર શહેરમાં સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ અને અમદાવાદ ખાતે સ્થાપિત થયેલા કોન્ટ્રાકટર ભગવાનજી ભીખાજીભાઈ ચૌહાણે પોતાના જન્મદિવસે મુખ્યમંત્રી રાહતફંડમાં ૫૧ હજારનો ચેક જમા કરાવી અનોખી ઉજવણી કરી હતી સિહોર શહેરમાં સેવાકીય અને સંસ્થાઓ સાથે સંકળાયેલા અને અમદાવાદ સ્થાપી થયેલ.

 ભગવાનજી ચૌહાણે કોરોના મહામારી વચ્ચે જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનો નિર્ણય કરી સિહોરના મામલતદારશ્રી નિનામાને કોરોના સામે જંગ લડી રહેલ રાજ્યસરકારના મુખ્યમંત્રી રાહત ફંડમાં ૫૧ હજાર રૂપિયાનો ચેક જમા કરાવ્યો હતો જન્મદિવસની ઉજવણીની અનોખી પહેલને સાથે ભગવાનજીની સાથે પિતાશ્રી ભીખાજીભાઈ ચૌહાણ, મોટાભાઈ રામભાઈ ચૌહાણ કે જેઓ વર્ષોથી આર એસ એસ સાથે જોડાયેલા છે તથા તેમના નાનાભાઈ શામભાઈ ચૌહાણ, હિતેશ ચૌહાણ તેમજ સિહોર શહેર ભાજપ મહામંત્રી હિતેષભાઈ મલુકાની વિશેષ ઉપસ્થિત રહી આવકારી હતી
Reviewed by ShankhnadNews on 20:06 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.