test
વિપક્ષી નેતા ધાનાણી એ લખ્યો રાજ્ય સરકારને પત્ર

રાજ્યમાં તમામ ખાનગી તથા ટ્રષ્ટની હોસ્પિટલમાં કીડની, હાર્ટ, કેન્સર વિગેરે જેવા ગંભીર તથા અન્ય  રોગોની સારવાર ચાલુ રાખો - પરેશ ધાનાણી

મિલન કુવાડિયા
સમગ્ર દેશમાં કોરોના ની મહામારીએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ૨૧ દિવસના લોકડાઉને સામાન્ય નાગરિકનું જીવન લોકડાઉન કરી દીધું છે ત્યારે રાજ્યમાં તમામ ખાનગી તથા ટ્રષ્ટની હોસ્પિટલમાં કીડની, હાર્ટ, કેન્સર વિગેરે જેવા ગંભીર તથા અન્ય  રોગોની સારવાર ચાલુ રાખવા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ માંગ કરી છે ધાનાણીએ પોતાના પત્રમાં કહ્યું છે કે તાજેતરમાં જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે કીડનીના દર્દીને કોરોના પોઝીટીવ આવેલ, જેના કારણે આ હોસ્પિટલમાં કીડની વિભાગના સ્ટાફને ક્વોરન્ટાઈન કરી કીડની વિભાગ તા. ૧૯, ૪, ૨૦૨૦ સુધી બંધ કરી દેવામાં આવેલ છે.

આ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલ છે અને હાલ તેમાં ૬૩ જેટલા કીડનીના પેશન્ટ ડાયાલીસીસ અર્થે આવેલ છે. આ હોસ્પિટલમાં ડાયાલીસીસ ટોકન ચાર્જથી કરવામાં આવે છે, જેના કારણે ગરીબ દર્દીઓને ખૂબ જ મોટો લાભ મળે છે. જો આવા દર્દી ખાનગી હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવવા જાય તો તેમના પર ખૂબ જ મોટું આર્થિક ભારણ આવી શકે તેમ છે અથવા તો ખાનગી હોસ્પિટલ દ્વારા તેમના કેસ ન સ્વીકારાય તેવી પણ ભીતિ રહેલી છે. ડાયાલીસીસ એ અતિ આવશ્યક છે અને જો દર્દીને ડાયાલીસીસ ન કરવામાં આવે તો તેનું મૃત્યુ થવાનો ભય રહેલો છે.

રાજ્યમાં મળતી માહિતી મુજબ, અંદાજીત દરરોજ ડાયાલીસીસના ૩૦૦૦ દર્દી, હાર્ટ એટેકના ૩૦૦ દર્દી કે જેઓને એન્જીયોપ્લાસ્ટીની જરૂર હોય, કેન્સરના ૧૫૦૦ દર્દી કે જેઓને કિમોથેરાપીની જરૂર હોય, પ્રસુતિના ૪.૦૦૦ કેસ હોય છે. છેલ્લા ૨૦ દિવસમાં ડાયાલીસીસ માટે ૬.૦૦૦ દર્દી, એન્જીયોપ્લાસ્ટી માટે ૬.૦૦૦ દર્દી, કિમોથેરાપી માટે કેન્સરના ૩૦.૦૦૦ દર્દી તથા પ્રસુતિના ૮૦.૦૦૦ કેસ આવ્યા  છે. વર્તમાન પરિસ્થિતિ જોતાં ખાનગી હોસ્પિ્ટલો દ્વારા ડરના કારણે દર્દીઓને પાછા કાઢી આખી હોસ્પિટલને સીલ કરી દેવામાં આવે છે.

રાજ્યમાં કીડની, કેન્સીર, હાર્ટ, લીવર વગેરે જેવા ગંભીર પ્રકારના રોગોની સારવાર બંધ કરવામાં આવશે તો કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓ કરતાં સારવારના અભાવે ગંભીર રોગોથી મૃત્યું પામનાર વ્યક્તિઓની સંખ્યા વધી જશે તેવું જણાઈ રહ્‌યું છે, ત્યારે દર્દીઓના હિતમાં ફક્ત જીવરાજ મહેતા હોસ્પિટલ જ નહીં પરંતુ રાજ્યમાં ખાનગી અને ટ્રસ્ટની એમ તમામ હોસ્પિટલો કીડની, કેન્સર, હાર્ટ, લીવર વગેરે જેવા ગંભીર રોગોની સારવાર માટે ચાલુ રહે તે અત્યંત જરૂરી છે તેવું પત્ર દ્વારા વિપક્ષી નેતા ધાનાણીએ કહ્યું છે.
Reviewed by ShankhnadNews on 19:46 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.