test
ભાવનગર જિલ્લા આહીર સમાજ દ્વારા રાહતફંડમાં ૨ લાખ રૂપિયાનું અનુદાન અપાયું 

મિલન કુવાડિયા
દેશ આખો કોરોના વાયરસ સામેની લડાઈમાં ઝઝૂમી રહ્યો છે. મોટા મોટા ઉદ્યોગપતીઓ, સેલિબ્રિટી ઓ અને રાજકારણીઓ, ક્રિકેટરો પ્રધાનમંત્રી રાહત ફંડમાં કરોડો રૂપિયા જમા કરાવી રહ્યા છે. તો ઘણા લોકો એવા છે કે મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ રકમ જમા કરાવી રહ્યા છે. લોકડાઉનની કડક અમલવારી વચ્ચે શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોની હાલત દયનિય બની રહી છે દેશમાં આવેલી કપરી પરિસ્થિતિ સામે લડવા માટે સમગ્ર દેશમાં લોકો આગળ આવી રહ્યા છે. વિવિધ સંસ્થાઓ ઉધોગો અને સમાજ દ્વારા રાહતફંડમાં અનુદાન કરવામાં આવી રહ્યું છે. ભાવનગર જિલ્લા આહીર સમાજ દ્વારા કોરોના મહામારી સામે લડવા માટે સૌરાષ્ટ્ર આહીર મંડળ ટ્રસ્ટ સંચાલિત આહીર બોર્ડિંગ ભાવનગર  તરફથી ૫૧,૦૦૦/- રૂપિયા પ્રધાનમંત્રી કોરોના રાહત ફંડ તથા ૫૧,૦૦૦/- રૂપિયા મુખ્યમંત્રી કોરોના રાહત ફંડ તેમજ ક્રિષ્ના ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી ૫૧,૦૦૦/- રૂપિયા પ્રધાનમંત્રી કોરોના રાહત ફંડ તથા ૫૧,૦૦૦/- રૂપિયા મુખ્યમંત્રી કોરોના રાહત ફંડ સહિત કુલ ૨,૦૪,૦૦૦/- અંકે બે લાખ ચાર હજાર રૂપિયા ના ચેક ગુજરાતના  માનનીય રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવે તથા માનનીય શ્રી ગૌરાંગભાઈ મકવાણા (કલેક્ટરશ્રી ભાવનગર) ને આહીર સમાજ વતિ  શ્રી રામભાઈ સાંગા (પ્રમુખશ્રી ભાવનગર જિલ્લા આહીર સમાજ ) તથા શ્રી પેથાભાઈ આહીર(ડિરેક્ટરશ્રી GIDC ગુજરાત)  તથા શ્રી જેઠાભાઇ ખમળ તથા શ્રી વશરામભાઈ ચાવડા તથા શ્રી  ભીમજીભાઈ સાંગા દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા અને કોરોના મહામારી જેવી વિકટ પરિસ્થિતિ સામે  લડવા માટે રાષ્ટ્ર્રહિત પ્રથમ લક્ષ માઁ રાખી સમગ્ર  આહીર સમાજ દ્વારા અનુદાન કરવામાં આવ્યું હતુઁ
Reviewed by ShankhnadNews on 20:41 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.