test
સિહોરના રસ્તાઓ પર લોકડાઉન વધુ કડક બનશે, પોલીસ અધિકારી અને તંત્ર વિભાગ દ્વારા મુખ્ય રસ્તાઓ પર તપાસ

શેરી-ગલી અને મુખ્ય રસ્તાઓ પર બેરીકેટ્સની દિવાલ બનશે,  લાકડા-બાંબુની સાથે પતરા બાંધી દેવાશે 


દેવરાજ બુધેલીયા
કોરોના વાયરસ દરદીઓની વધતી જતી સંખ્યા ચિંતાજનક બની છે. ત્યારે કોરોનાની મહામારી શહેરમાં વધુ પ્રસરે નહીં તે માટે પોલીસ અને તંત્ર દ્વારા શેરી-ગલીઓ ઉપરાંત હવે મુખ્ય રસ્તાઓ પર બેરીકેટની દિવાલ ચણી વાહનોની અવર-જવર રોકવાનો તખ્તો ઘડાઈ ચુક્યો છે અને તંત્ર દ્વારા શહેરના અનેક જગ્યાઓ પર રૂબરૂ સ્થળ તપાસ કરી હતી કોરોના સંક્રમણને ફેલાતા રોકવા રસ્તાઓ લોકડાઉન કરવા જરૂરી છે, તેથી નાગરિકોએ પણ પોતાની ફરજ સમજી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રને સહકાર આપવો જરૂરી બન્યો છે. ૨૧ દિવસના લોકડાઉનની કડક અમલવારી થાય તે માટે પોલીસે દંડ-ડંડાનો ઉપયોગ કરી જાણ્યો છતાં લોકો કોઈને કોઈ બહાના કાઢી રસ્તાઓ પર આટાં-ટલ્લાં મારવા નીકળી રહ્યા છે. જેથી વાહન ડિટેઈનની કાર્યવાહી પણ કરાઈ તો પણ લોકોએ વાહન લઈ રોડ પર નીકળવાનું બંધ ન કરતા પોલીસે આખરે રસ્તાઓ જ બંધ કરવાનો નિર્ણય કર્યા છે. શહેરના મોટાભાગના રસ્તાઓ આડે બેરીકેટ્સ ઉભા કરી ઘણી જગ્યાએ પતરા મારી વાહનોની અવર-જવર બંધ કરી દેવામાં આવશે ત્યારે સિહોર પોલીસ અધિકારી અને નગરપાલિકા સ્ટાફ દ્વારા અનેક જગ્યાઓ પર રૂબરૂ સ્થળ મુલાકાત લઈને લોકડાઉનનો કડક અમલ માટેની સ્થળ પર જઈ ચર્ચાઓ કરી હતી
Reviewed by ShankhnadNews on 20:04 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.